Gujarati Vyakaran Vihar 2021 By Bipin Trivedi (Paperback, Gujarati, Bipin trivedi)
વ્યાકરણ વિહાર
-ત્રિવેદી પબ્લિકેશન્સ
-સંપાદક: બીપીનભાઈ પી. ત્રિવેદી
demo pdf download maate link
- ગઈ કાલે ugvcl (JA)ની પરીક્ષા આપી. ગુજરાતની ચારેય વીજ-કંપની લિમિટેડની જુનીયર આસિસ્ટન્ટની પરીક્ષાનો માહોલ આખા ગુજરાતમાં છે.
આ પરીક્ષામાં કમ્પ્યુટર અને અંગ્રેજી વિષયોએ બધા વિદ્યાર્થીના મનોબળ તોડી નાખ્યા છે. ક્યાંથી પુછાય છે ? એ કોઈ ને ખબર નથી, ગણિત અને રિજનીંગની પેટર્ન બધાને આવડી ગઈ છે, ત્યારે ગુજરાતી વિષયમાં વધારે માર્ક્સ એ કટ-ઓફ માર્કની નજીક લઇ જાય છે...
- આખા ગુજરાતમાં ગુજરાતી વ્યાકરણ માટેની બુક ઘણા પબ્લિકેશન્સ દ્વારા બહાર પાડવામાં આવે છે, પણ આ બધી જ બુકમાં ત્રિવેદી પબ્લિકેશન્સની વ્યાકરણ વિહાર સૌથી અલગ તરી આવે છે.
- જો આ આખી બુકનો તમે વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય તો ગુજરાતી વ્યાકરણમાં પુરા માંથી પુરા માર્ક આવે એની શક્યતા ખૂબ વધી જાય છે.
- જેમ આખા ભારતમાં polity વિષય સાંભળતા જ m.lakshmikant યાદ આવે તેમ ગુજરાતમાં ગુજરાતી વ્યાકરણ વિષય સાંભળીને વ્યાકરણ વિહાર યાદ આવે.
- સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પ્રશ્ન હોઈ છે કે શું વાંચવું ? હંમેશા એક વાતનો ડર હોઈ છે કે આ બુક હું વાંચું તો છું પણ આમાંથી પુછાશે? અને આ પ્રશ્ન અને ડર સ્વાભાવિક પણ છે કારણ કે ઘણા એવા પુસ્તકો માર્કેટમાં ઉપલબ્ધ છે જેના પૂંઠા પર upsc લખ્યું હોઈ પણ ગુજરાતની class-3 ની પરીક્ષામાં પણ એમાંથી બોવ જ ઓછું પુછાયું હોઈ છે.
-પણ ગુજરાતી વ્યાકરણ વિષયમાં આ તમામ પ્રશ્નોનું નિરાકરણ એક જ પુસ્તક આપે છે- વ્યાકરણ વિહાર.
- ગુજરાતી વ્યાકરણ વિષયમાટે ગુજરાતમાં ઘણા પુસ્તકો ઉપલબ્ધ છે અને તમામ પુસ્તકો સારા જ છે એવું નથી કે એ વાંચીને પાસ ના થવાય પણ એ તમામની ટોચ ઉપર વ્યાકરણ વિહાર પુસ્તક બેઠું છે.
- અને વ્યાકરણ વિહારે દરેક પરીક્ષામાં પોતાની જાતને સાબિત કરીને વિદ્યાર્થીનો વિશ્વાસ જીત્યો છે.
- ગુજરાતમાં લેવાતી પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણ વિષયનું ભારણ 10% થી 35% હોઈ છે અને આ તમામ માટે માત્ર એક જ પુસ્તક વ્યાકરણ વિહાર પૂરતું છે.
- આમ આવા અતિ અગત્યના અને હાઇ-વેઇટેજ વાળા વિષય માટે આવું સરલ ભાષામાં અને ઓથેન્ટિક પુસ્તક આપવા બદલ હું ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ વતી ત્રિવેદી પબ્લિકેશન અને વ્યાકરણ વિહારના સંપાદક અને મારા ગુરુ બીપીનભાઈ પી. ત્રિવેદીનો આભાર વ્યક્ત કરું છું
टिप्पणियाँ
एक टिप्पणी भेजें